'લોક હિતમ મમ કરણીયમ'
શ્રી કેશવ કો. ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી. જૂનાગઢ ની સ્થાપના ઈ. સ.૧૯૯૭માં આર.એસ.એસ.ના તત્કાલીન જૂનાગઢ વિભાગ પ્રચારકની પ્રેરણાથી સંઘ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી.આ સોસાયટીનો મુદ્રાલેખ છે
"લોક હિતમ મમ કરણીયમ" એટલે કે જન કલ્યાણ એ જ મારૂ કર્તવ્ય છે. આ સોસાયટી આપણા સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપીને પગભર કરવા તથા રાષ્ટ્રની 'સર્વાગીણ ઉન્નતિ' એટલે કે આમુલ સામાજીક પરિવર્તન માટે કાર્ય કરી રહી છે.
આ માટે આ સોસાયટીનો ત્રી-આયામી કાર્યક્રમ છે.
(૧) વ્યકિત ઉત્કર્ષ દ્વારા પરિવાર ઉત્કર્ષ'
(૨) 'પરિવાર ઉત્કર્ષ દ્વારા ગ્રામ ઉત્કર્ષ'
(૩) 'ગ્રામ ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર ઉત્કર્ષ'
એટલે કે 'રાષ્ટ્રને પરમ વૈભવશાળી બનાવવું'
વર્તમાનમાં આ સોસાયટીની ૨૪ શાખાઓ કાર્યરત છે. ૨૦૨૫-૨૭ દરમિયાન નવી ચાર શાખાઓ શરૂ કરવાની યોજના છે.