• Our address: 'Dr.Keshavrao Baliram Hedgewar Bhavan', Khamdhrol Chokdi Junagadh, Gujarat-362002
  • 'લોક હિતમ મમ કરણીયમ'

    શ્રી કેશવ કો. ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી. જૂનાગઢ ની સ્થાપના ઈ. સ.૧૯૯૭માં આર.એસ.એસ.ના તત્કાલીન જૂનાગઢ વિભાગ પ્રચારકની પ્રેરણાથી સંઘ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી.આ સોસાયટીનો મુદ્રાલેખ છે "લોક હિતમ મમ કરણીયમ" એટલે કે જન કલ્યાણ એ જ મારૂ કર્તવ્ય છે. આ સોસાયટી આપણા સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપીને પગભર કરવા તથા રાષ્ટ્રની 'સર્વાગીણ ઉન્નતિ' એટલે કે આમુલ સામાજીક પરિવર્તન માટે કાર્ય કરી રહી છે. આ માટે આ સોસાયટીનો ત્રી-આયામી કાર્યક્રમ છે.
    (૧) વ્યકિત ઉત્કર્ષ દ્વારા પરિવાર ઉત્કર્ષ'
    (૨) 'પરિવાર ઉત્કર્ષ દ્વારા ગ્રામ ઉત્કર્ષ'
    (૩) 'ગ્રામ ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર ઉત્કર્ષ'
    એટલે કે 'રાષ્ટ્રને પરમ વૈભવશાળી બનાવવું' વર્તમાનમાં આ સોસાયટીની ૨૪ શાખાઓ કાર્યરત છે. ૨૦૨૫-૨૭ દરમિયાન નવી ચાર શાખાઓ શરૂ કરવાની યોજના છે.
    About About
    About About

    આ માટે આ સોસાયટી નો ત્રિ-આયામી કાર્યક્રમ છે.

    (1) 'વ્યક્તિ ઉત્કર્ષ દ્વારા પરિવાર ઉત્કર્ષ'

    (2) 'પરિવાર ઉત્કર્ષ દ્વારા ગ્રામ ઉત્કર્ષ'

    (3) 'ગ્રામ ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર ઉત્કર્ષ'

    એટલે કે

    ‘રાષ્ટ્ર ને પરમ વૈભવશાળી બનાવવું'

    શ્રી કેશવ ક્રેડિટ ની વિશેષતાઓ
    • ગુજરાત ની પ્રથમ સોસાયટી જેને એક કરતા વધારે જીલ્લા માં શાખાઓ શરૂ કરવાની કરવાની મંજુરી મળી હોય
    • ગુજરાત ની પ્રથમ સોસાયટી જેમા કોર બેકીંગ સિસ્ટમ હોય. (કોઈપણ શાખા માંથી વહીવટ કરવા ની સુવિધા)
    • ગુજરાત ની પ્રથમ ISO 9001-2015 certified સોસાયટી
    • સોસાયટી સાથે જોડાયલા 42,000 થી વાધારે પરીવારો
    • સભાસદો ની આર્થિક જરુરિયાત પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકાર ની ધિરાણ યોજનાઓ
    • આર્થિક રીતે નબળા વર્ગ ના લોકો ને બચત માટે પ્રેરવા વિવિધ પ્રકાર ની થાપણ યોજનાઓ
    • શરુઆત થી જ ઓડિટ વર્ગ ‘અ' તથા 'શુન્ય' એન.પી.એ.
    • સભાસદો ને એકદમ વ્યાજબી વ્યાજ ના દરે રૂ. 5 હજાર થી રૂ. 50 લાખ સુધી 24 કલાક માં ત્વરિત ધિરાણ
    • મહીલા ઉત્કર્ષ માટે જોઈન્ટ લાયાબીલિટી ગ્રુપ યોજના હેઠળ 8,000 હાજર થી વધારે મહિલાઓ ને રૂ. 8 કરોડ નું ધિરાણ
    • આ સોસાયટી દ્વારા 185 જેટલા ગામો દત્તક લઇ ને ત્યાં ગ્રામીણ વિકાસ તથા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા માં આવી
    • સ્થાપના સમય થી જ નફો તથા સભાસદો ને 15% ડીવીડન્ડ
    • સોસાયટી સાથે નાણાકીય વ્યવહાર માટે SMS સુવિધા
    • લોન ના હપ્તા નિયમિત ભરનાર ને વ્યાજ માં રાહત
    • બચત ખાતા માંથી કોઈ ચાર્જ વગર ઘરે બેઠા ઉપાડવાની સવલત
    • આગામી ત્રણ વર્ષ માં 1000 ગામો ને પૂર્ણ રોજગારી યુકત ગામ બનાવની યોજના. યુવા વર્ગ ને ગામ માં જ રોજગારી મળી શકશે